લાઠી ગામ ના આહિર હાદાઆપા ડાંગર (ભાગ : ૧)
#_લાઠી_ગામ_ના__આહિર_હાદાઆપા_ડાંગર
બુંગિયો ઢોલ સાંભળી શૂરવીર સૂતો ન રહે
લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર
લાઠીમાં ગોહિલ કુળ શિરોમણિ અમરસિંહજીનું રાજ તપે છે. એવા લાઠી નગરમાં ખોખા ડાંગર નામનો એક ડાહ્યો સમજુ શૂરવીર રહેતો. તેને ચોવીસેય કલાક ડાયરો જમાવી બેસવાની ટેવ, ડાયરા વગર તો તેને કહુ તૂટતો. તેને એક નાનો ભાઈ છે જેનું નામ હાદો ડાંગર, જે હાદાએ ગાયો માટે પોતાના જીવનું બલિદાન દીધું હતું.
જેના નામ પરથી જે પુરાણ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ પડી ગયું. એવી જોરાવર અને બળૂકી કાઠી કોમ સાથે લાઠીને અનાદિકાળથી વેર ચાલ્યું આવે છે એ માટે એક કહેવત કહેવાય છે કે ચારે કોર કાઠી અને વચ્ચે લાખાની લાઠી તેનો એક દુહો કહેવાય છે કે
લાઠી કાઠીને લીંબડા, ભડ થાશે ભેળા,
સુધડો જે ડી રમત માંડશે, તે ડી કૈક ખપશે ખેળા.
લાઠીને ઘમરોળવા કાઠી નવજુવાનો આવી ચડ્યા અને લાઠીના પાદરેથી ગાયો હાંકીને ગોવાળને કાઢી મૂક્યો. એ બિચારો તો રડતો રડતો આવ્યો લાઠીના રાજમહેલમાં ગોહિલ રાજ દાજીરાજ (અમરસિંહજી) પાસે કે બાપુ આપડી ગાયો કાઠીઓ વાળી ગયા છે, ત્યારે રાજવીએ કાઠીઓ સામે થવા બુંગીયો ઢોલ વગડાવ્યો કે હાલો રણે ચડવા, આ બુંગીયો ઢોલ સાંભળી અનેક નરબંકા શૂરવીરો લડવા તૈયાર થઇ ગયા, પણ હાદા ડાંગરને ખબર નોતી તેણે સૂતા સૂતા ઢોલ ન સાંભળ્યો હોય એવું ન બને અને તે જાગ્યો.
હાદાના લગ્ન હજુ હમણાં જ થયા હતા, તેની આંખમાં હજુ ઊંઘ ભરી હતી, પણ નવોઢા પાસેથી નીકળ્યો અને હથિયારો ભેગા કરવા માંડ્યો. ઓરડામાં હાદો અને એની વહુ સિવાય કોઈ નથી. માં ઓરડાની સાંકળ ખોલતી નથી, માં એ વાર્યો કે બેટા કઈ નથી પાછો સૂઇ જા હજુ સવાર પડવામાં વાર છે, પણ બુંગીયો ઢોલ સાંભળી શૂરવીર થોડો સૂતો રહે.
હાદો કહે માં આપણા ઠાકોર લાખાજીનું લાંબુ ગામતરું ને ઠાકોર દાજીરાજ બાળક ગણાય તો જવું જ પડે હો, માટે જલદી કમાડ ખોલો જવું છે.
માં દીકરાનો આ સંવાદ સાંભળતા તો નવોઢા આહીરાણી બોલી કે ફૂઈ કમાડ જલદી ખોલો ને પછી બોલી કે
મરવું ઉતમ મરદને, રણભૂમિ માંય
સેજે જાયે સ્વર્ગમાં, કીર્ત કોટ કદાય.
નવોઢાનાં આવા શબ્દો સાંભળતા હાદાની માંએ બારણું ખોલ્યું ને ત્યાં તો હાદો સિંહની જેમ છલાંગ મારીને ઘોડા પર પલાણી ગયો. આ સમયે ઘોડાએ અપશુકનની એંધાણી આપી જમીન ખોતરવા ને સૂંઘવા લાગ્યો, માં એ જોઈ કહે બેટા ન જતો સારું હો ઘોડો જમીન ખોતરે છે પાછી વળી છીંક આવી છે.
હાદો કહે અરે એવું શું બોલો છો માં, આપણો ધણી તો ઠાકર છે તેને શુકન અપશુકન જોવાના ન હોય હો. આટલું કહી હાદો માને પગે લાગી ચાલી નીકળ્યો.
જ્યાં કાઠીઓ અને હાદો ડાંગર ભેગા થયા ત્યાં અને તેણે ગાયો છોડાવી, પણ હાદો કહે તમે પાછા જાવ હું આને આઘા તગડી આવું.
મુછ મરડે દંત કરડે, કરી બહુ કિકયારીને
મોઢ કૂવા પાસ મળીયા, હોમ હૈયે ધારીને
સામસામા સૂરા મળીયા, ઉગ્ર યુદ્ધ તહી
નાળ જંજાળ ગજબ ગગડ્યા,અરી દળ સહારેલું.
આખરે હાદાએ કાઠીઓને નસાડ્યા, પણ તેના નસીબમાં શહીદી લખાયેલી હતી. તે તેની જાતવંત ઘોડી સભર હોવાને લીધે ન લઇ ગાયો અને ટારડો ઘોડો લઇ ગયો હતો, તેણે દગો દીધોને ભાગીને હાથમાં ન રહ્યોને કાઠીની છાવણીમાં એ જઈ ચડ્યો ત્યાં તો ફરીવાર કાઠી અને હાદાની વચ્ચે ઝપાઝપી બોલી ગઈ, ત્યારે અચાનક માણસૂરવાળાનો ભાલો હાદા ડાંગરને વીંધી ને નીકળી ગયો. હાદો ડાંગર પોતાની નવોઢા પરિણીતાને એકલી મૂકી સ્વર્ગની વાટે ચાલી નીકળ્યો. આજે પણ હાદા ડાંગરની તલવાર પૂજાય છે તેના
વારસોને લાઠી રાજ્ય તરફથી પસાયતી જમીન આપવામાં આવી હતી. આ ઘટના આસોદરને પાદર સંવત ૧૮૪૦ ભાદરવા વદી ૧૧ ને સોમવારે બની હતી. આજે પણ લાઠીમાં આહીરવાસમાં ખોખા ડાંગરનો ચોરો કહેવાય છે. લાઠીના કલાપી મંદિરમાં હાદા ડાંગરનો પાળિયો છે અને તેને આહીરો પૂજે છે
બુંગિયો ઢોલ સાંભળી શૂરવીર સૂતો ન રહે
લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર
લાઠીમાં ગોહિલ કુળ શિરોમણિ અમરસિંહજીનું રાજ તપે છે. એવા લાઠી નગરમાં ખોખા ડાંગર નામનો એક ડાહ્યો સમજુ શૂરવીર રહેતો. તેને ચોવીસેય કલાક ડાયરો જમાવી બેસવાની ટેવ, ડાયરા વગર તો તેને કહુ તૂટતો. તેને એક નાનો ભાઈ છે જેનું નામ હાદો ડાંગર, જે હાદાએ ગાયો માટે પોતાના જીવનું બલિદાન દીધું હતું.
જેના નામ પરથી જે પુરાણ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ પડી ગયું. એવી જોરાવર અને બળૂકી કાઠી કોમ સાથે લાઠીને અનાદિકાળથી વેર ચાલ્યું આવે છે એ માટે એક કહેવત કહેવાય છે કે ચારે કોર કાઠી અને વચ્ચે લાખાની લાઠી તેનો એક દુહો કહેવાય છે કે
લાઠી કાઠીને લીંબડા, ભડ થાશે ભેળા,
સુધડો જે ડી રમત માંડશે, તે ડી કૈક ખપશે ખેળા.
લાઠીને ઘમરોળવા કાઠી નવજુવાનો આવી ચડ્યા અને લાઠીના પાદરેથી ગાયો હાંકીને ગોવાળને કાઢી મૂક્યો. એ બિચારો તો રડતો રડતો આવ્યો લાઠીના રાજમહેલમાં ગોહિલ રાજ દાજીરાજ (અમરસિંહજી) પાસે કે બાપુ આપડી ગાયો કાઠીઓ વાળી ગયા છે, ત્યારે રાજવીએ કાઠીઓ સામે થવા બુંગીયો ઢોલ વગડાવ્યો કે હાલો રણે ચડવા, આ બુંગીયો ઢોલ સાંભળી અનેક નરબંકા શૂરવીરો લડવા તૈયાર થઇ ગયા, પણ હાદા ડાંગરને ખબર નોતી તેણે સૂતા સૂતા ઢોલ ન સાંભળ્યો હોય એવું ન બને અને તે જાગ્યો.
હાદાના લગ્ન હજુ હમણાં જ થયા હતા, તેની આંખમાં હજુ ઊંઘ ભરી હતી, પણ નવોઢા પાસેથી નીકળ્યો અને હથિયારો ભેગા કરવા માંડ્યો. ઓરડામાં હાદો અને એની વહુ સિવાય કોઈ નથી. માં ઓરડાની સાંકળ ખોલતી નથી, માં એ વાર્યો કે બેટા કઈ નથી પાછો સૂઇ જા હજુ સવાર પડવામાં વાર છે, પણ બુંગીયો ઢોલ સાંભળી શૂરવીર થોડો સૂતો રહે.
હાદો કહે માં આપણા ઠાકોર લાખાજીનું લાંબુ ગામતરું ને ઠાકોર દાજીરાજ બાળક ગણાય તો જવું જ પડે હો, માટે જલદી કમાડ ખોલો જવું છે.
માં દીકરાનો આ સંવાદ સાંભળતા તો નવોઢા આહીરાણી બોલી કે ફૂઈ કમાડ જલદી ખોલો ને પછી બોલી કે
મરવું ઉતમ મરદને, રણભૂમિ માંય
સેજે જાયે સ્વર્ગમાં, કીર્ત કોટ કદાય.
નવોઢાનાં આવા શબ્દો સાંભળતા હાદાની માંએ બારણું ખોલ્યું ને ત્યાં તો હાદો સિંહની જેમ છલાંગ મારીને ઘોડા પર પલાણી ગયો. આ સમયે ઘોડાએ અપશુકનની એંધાણી આપી જમીન ખોતરવા ને સૂંઘવા લાગ્યો, માં એ જોઈ કહે બેટા ન જતો સારું હો ઘોડો જમીન ખોતરે છે પાછી વળી છીંક આવી છે.
હાદો કહે અરે એવું શું બોલો છો માં, આપણો ધણી તો ઠાકર છે તેને શુકન અપશુકન જોવાના ન હોય હો. આટલું કહી હાદો માને પગે લાગી ચાલી નીકળ્યો.
જ્યાં કાઠીઓ અને હાદો ડાંગર ભેગા થયા ત્યાં અને તેણે ગાયો છોડાવી, પણ હાદો કહે તમે પાછા જાવ હું આને આઘા તગડી આવું.
મુછ મરડે દંત કરડે, કરી બહુ કિકયારીને
મોઢ કૂવા પાસ મળીયા, હોમ હૈયે ધારીને
સામસામા સૂરા મળીયા, ઉગ્ર યુદ્ધ તહી
નાળ જંજાળ ગજબ ગગડ્યા,અરી દળ સહારેલું.
આખરે હાદાએ કાઠીઓને નસાડ્યા, પણ તેના નસીબમાં શહીદી લખાયેલી હતી. તે તેની જાતવંત ઘોડી સભર હોવાને લીધે ન લઇ ગાયો અને ટારડો ઘોડો લઇ ગયો હતો, તેણે દગો દીધોને ભાગીને હાથમાં ન રહ્યોને કાઠીની છાવણીમાં એ જઈ ચડ્યો ત્યાં તો ફરીવાર કાઠી અને હાદાની વચ્ચે ઝપાઝપી બોલી ગઈ, ત્યારે અચાનક માણસૂરવાળાનો ભાલો હાદા ડાંગરને વીંધી ને નીકળી ગયો. હાદો ડાંગર પોતાની નવોઢા પરિણીતાને એકલી મૂકી સ્વર્ગની વાટે ચાલી નીકળ્યો. આજે પણ હાદા ડાંગરની તલવાર પૂજાય છે તેના
વારસોને લાઠી રાજ્ય તરફથી પસાયતી જમીન આપવામાં આવી હતી. આ ઘટના આસોદરને પાદર સંવત ૧૮૪૦ ભાદરવા વદી ૧૧ ને સોમવારે બની હતી. આજે પણ લાઠીમાં આહીરવાસમાં ખોખા ડાંગરનો ચોરો કહેવાય છે. લાઠીના કલાપી મંદિરમાં હાદા ડાંગરનો પાળિયો છે અને તેને આહીરો પૂજે છે
Comments
Post a Comment